પોસ્ટ્સ

માતૃત્વ મારી રીતે ....

    માતા હોવું એક સુખદ અનુભૂતિ છે. માતૃત્વ જીવનનો સૌથી ઉમદા અવસર છે , સાથે જીવનનો સૌથી મુશ્કેલ સમય પણ કહી શકાય. કારણ , એક માતા તરીકેની જવાબદારી ઘણી કપરી છે. માતા તરીકે આપણે માત્ર એક બાળકનો ઉછેર નથી કરી રહ્યા. પરંતુ , એક પ્રેમાળ , નૈતિક અને જવાબદાર વ્યક્તિનો ઉછેર કરી રહ્યા છીએ. એથી આપણી જવાબદારી બેવડાઈ જાય છે. એક માતા તરીકે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી વખતે આપણે સાવધાની રાખવી પડે છે. દરેક બાળક પોતાની રીતે ભિન્ન હોય છે એટલે , દરેક માતાનું માતૃત્વ પણ એક બીજાથી ભિન્ન હોઈ શકે. દરેક માતા પોતાના બાળકનો ઉછેર પોતાની રીતે કરે છે અને ભવિષ્યમાં તેનું બાળક આપેલા સંસ્કારોને ઉજાગર કરે છે. ત્યારે , માતા છાપરે ચડીને પોકારે છે , ' માતૃત્વ મારી રીતે . '     માતાના જીવનમાં આવા પ્રસંગો બને છે. ત્યારે , એક માતા તરીકે આપણે ગર્વ અનુભવીયેે છીએ. મારા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા છે. આજે મારા બંને બાળકો દિવ્ય અને દિવ્યા પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે. મને આજે તેમની માતા હોવાનો મને ગર્વ છે. આજે હું તેઓને એક નૈતિક અને જવાબદાર વ્યક્તિ તરીકે જોઈને , માતૃત્વ મારી રીતેનો ગર્વ મેહસૂસ કરી...

જીવન મૃત્યુ ( ભાગ 2)

   જીવનભર હર્ષાબેહેને સેવાના અનેક કાર્યો કર્યા હતા પરંતુ , એના ફળ માટે તેમણે ક્યારેય આશા નહોતી રાખી . લોકો સામેથી તેમનો આભાર માનીને કહેતા ," કોઈ કામ હોય તો કહેજો !" તેઓ હસીને કહેતા ," જરૂર કહીશ !" છતાંય તેમણે કયારેય એ વ્યક્તિનો સંપર્ક પોતના અંગત ફાયદા માટે   નહોતો કર્યો પરંતુ , જ્યારે બીજાને જરૂર પડતી ત્યારે તરત જ તેમનો સંપર્ક કરી લેતાં . એમના પરિવારના બધા   તેમને માનથી જોતાં . આખા કુટુંબને તેમણે એક તાંતણે જોડીને રાખ્યું હતું . માત્ર એમની સુઝબુઝ ને લીધે પરિવારના તૂટેલા સંબંધો પણ ફરી જોડાઈ ગયા હતા . તેમની પરોપકારની ભાવનાને લીધે એક નવો પરિવાર પણ બન્યો હતો . જેમની સાથે લોહીના કે મિત્રતાના નહીં બલ્કે માણસાઈના સંબંધો બન્યા હતા ! એ બધાના આશિષ કહો કે ઇશ્વરની કૃપા કહો ,  સિતેર વર્ષની વય સુધી એમણે કયારેય હોસ્પિટલનો ખાટલો જોયો નહોતો . હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવ્યા હતા . એ ઉંમરે પણ યુવાન વ્યક્તિને શરમાવી દેતાં . નાની મોટી બીમારીમાં દવાઓ કયારેય ...